આઝાદી કા અમૃત મહોત્સવ એટલે સ્વતંત્રતાની ઉર્જાનું અમૃત; આઝાદી કા અમૃત મહોત્સવ એટલે સ્વાતંત્ર્ય સંગ્રામના યોદ્ધાઓની પ્રેરણાનું અમૃત; આઝાદી કા અમૃત મહોત્સવ એટલે નવા વિચારો અને પ્રતિજ્ઞાઓનું અમૃત; આઝાદી કા અમૃત મહોત્સવ એટલે આત્મનિર્ભરતાનું અમૃત. તેથી જ, આ મહોત્સવ રાષ્ટ્રજાગૃતિનો મહોત્સવ છે. આ મહોત્સવ સુશાસનના સ્વપ્નને સાકાર કરવાનો મહોત્સવ છે; અને વૈશ્વિક શાંતિ અને વિકાસનો મહોત્સવ છે.

નરેન્દ્ર મોદીભારતના વડાપ્રધાન