આરોગ્ય અને સ્વાસ્થ્ય
હેલ્થકેર સેક્ટરમાં હોસ્પિટલો, તબીબી ઉપકરણો, ક્લિનિકલ ટ્રાયલ, આઉટસોર્સિંગ, ટેલિમેડિસિન, તબીબી પ્રવાસન, આરોગ્ય વીમો અને તબીબી સાધનોનો સમાવેશ થાય છે. આરોગ્યને ઘણીવાર નિવારક સંભાળ અને બીમારી માટેની ઉપચારાત્મક ક્રિયાઓના ર્દષ્ટિબિંદુથી જેાવામાં આવે છે.
આયુર્વેદ, યોગ અને નેચરોપેથીમાં સ્વીકારાયેલી ઔષધની પ્રાચીન પ્રણાલીઓના આપણા પરંપરાગત અભિગમો ઉપરાંત યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી પણ ભારતમાં આરોગ્ય અને સુખાકારીની સ્થિતિનો મહત્ત્વનો ભાગ છે.