106030897

મુલાકાતીઓ

516885

સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે

188994

પ્રકાશિતઇવેન્ટ્સ

આઝાદીનો અમૃત મહોત્સવ

આઝાદી કા અમૃત મહોત્સવ વિકાસશીલ ભારતના ૭૫ વર્ષ પૂરા થવાને અને અહીંનાં લોકો, સંસ્કૃતિ અને ઉપલબ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસને યાદ કરવા માટે અને એનો મહોત્સવ મનાવવા માટે થઈને ભારત સરકારની એક પહેલ છે.

વધુ જાણો

આ મહોત્સવ ભારતની જનતાને સમર્પિત છે. જેમણે ન તો કેવળ ભારતને એની વિકાસયાત્રામાં આગળ લાવવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે બલ્કે જેમની ભીતર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારત ૨.૦ને સક્રિય કરવાના દૃષ્ટિકોણને શક્ય બનાવવાની શક્તિ અને સામર્થ્ય પણ છે અને જે આત્મનિર્ભર ભારતની ભાવનાથી પ્રેરિત છે.

આઝાદી કા અમૃત મહોત્સવ ભારતની સામાજિક–સાંસ્કૃતિક, રાજનીતિક અને આર્થિક ઓળખને વિકાસની તરફ લઈ જનારી સઘળી બાબતોનું મૂર્ત રૂપ છે. આઝાદી કા અમૃત મહોત્સવની સત્તાવાર યાત્રાનો પ્રારંભ ૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ થયો હતો. જેનું ૭૫ અઠવાડિયાનું કાઉન્ટડાઉન આપણી સ્વતંત્રતાની ૭૫ વર્ષગાંઠ માટે શરૂ થઈ ગયું છે તથા એક વર્ષ પછી ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ એની પૂર્ણાહુતિ થશે. આઝાદી કા અમૃત મહોત્સવની પાંચ થીમ નીચે મુજબ છે.

Azadi Ka Amrit Mahotsav: Celebrating 75 Years of India's Independence

આપણે જ્યારે ૧૫મી ઓગસ્ટ ૨૦૨૩ની નજીક જઈ રહ્યા છીએ ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ્ય સાંસ્કૃતિક અને સામાજિક વિકાસના મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને આ લોકોની ચળવળને વધુ વેગ આપવાનો છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને, માનનીય વડાપ્રધાન દ્વારા જાહેર કરાયેલ ‘પંચ પ્રણ’ સાથે સંલગ્ન નવાં વિષયવસ્તુ ઓળખવામાં આવ્યાં છે; મહિલા અને બાળકો, આદિવાસી સશક્તિકરણ, પાણી, સાંસ્કૃતિક ગૌરવ, પર્યાવરણલક્ષી જીવનશૈલી (જીવન) આરોગ્ય અને સુખાકારી, સર્વ સમાવેશી વિકાસ, આત્મનિર્ભર ભારત અને એકતા.

નરેન્દ્ર મોદી, ભારતના વડાપ્રધાન

સ્વતંત્રતા ચળવળના ઈતિહાસની જેમ, આઝાદી પછીના 75 વર્ષની સફર ભારતના સામાન્યજનોના પરિશ્રમ, નવીનતા, ઉદ્યમશીલતાનું પ્રતિબિંબ છે. આપણે ભારતીયોએ, પછી ભલે ને દેશમાં હોઈએ કે વિદેશમાં, પરિશ્રમથી પોતાની ઓળખને પૂરવાર કરી છે. આપણને આપણાં બંધારણ પર ગર્વ છે. આપણને આપણી લોકશાહી પરંપરાઓ પર ગર્વ છે. લોકશાહીની જનની ગણાતો ભારત દેશ આજે પણ લોકશાહીને દૃઢ કરતો આગળ વધી રહ્યો છે. જ્ઞાન–વિજ્ઞાનથી સમૃદ્ધ આ દેશ મંગળ ગૃહથી લઈને ચંદ્ર સુધી પોતાની છાપ છોડી રહ્યો છે.

નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન

નરેન્દ્ર મોદી, ભારતના વડાપ્રધાન

આઝાદી કા અમૃત મહોત્સવ એટલે સ્વતંત્રતાની ઉર્જાનું અમૃત; આઝાદી કા અમૃત મહોત્સવ એટલે સ્વાતંત્ર્ય સંગ્રામના યોદ્ધાઓની પ્રેરણાનું અમૃત; આઝાદી કા અમૃત મહોત્સવ એટલે નવા વિચારો અને પ્રતિજ્ઞાઓનું અમૃત; આઝાદી કા અમૃત મહોત્સવ એટલે આત્મનિર્ભરતાનું અમૃત. તેથી જ, આ મહોત્સવ રાષ્ટ્રજાગૃતિનો મહોત્સવ છે. આ મહોત્સવ સુશાસનના સ્વપ્નને સાકાર કરવાનો મહોત્સવ છે; અને વૈશ્વિક શાંતિ અને વિકાસનો મહોત્સવ છે.

નરેન્દ્ર મોદીભારતના વડાપ્રધાન

મેરી માટી મેરા દેશ

ચાલી રહેલ આઈકોનિક ઈવેન્ટસ્

Inauguration of Meri Maati Mera Desh Amrit Kalash Yatra

Inauguration of Meri Maati Mera Desh Amrit Kalash Yatra

Start Date September 1, 2023

End Date September 1, 2023

Organiser -Ministry of Culture and Ministry of Youth Affairs and Sports

Freedom Struggle

Partition Horrors Remembrance Day: Remembering the Partition

Partition Horrors Remembrance Day: Remembering the Partition

Start Date August 14, 2023

End Date August 14, 2023

Organiser -Ministry of Culture

Freedom Struggle

Independence Day 2023

Independence Day 2023

Start Date August 15, 2023

End Date August 15, 2023

Organiser -Government of India

Freedom Struggle

Har Ghar Tiranga 2023

Har Ghar Tiranga 2023

Start Date August 13, 2023

End Date August 15, 2023

Organiser -Ministry of Culture

Freedom Struggle

Meri Maati Mera Desh

Meri Maati Mera Desh

Start Date August 9, 2023

End Date August 15, 2023

Organiser -Ministry of Youth Affairs and Sports and Ministry of Culture

Freedom Struggle

Rang Swadhinta Desh Ki Mitti

Rang Swadhinta Desh Ki Mitti

Start Date August 12, 2023

End Date August 13, 2023

Organiser -Ministry of Culture

Resolve@75

આગામી આઈકોનિક ઈવેન્ટસ્

આઝાદીનો અમૃત મહોત્સવના પાંચ વિષય

સ્વતંત્રતા સંગ્રામ

આ થીમ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ અમારી સ્મારક પહેલને એન્કર કરે છે. તે ભૂલાયેલાં સ્વતંત્રતા સેનાનીની કથાઓને જીવતી કરે છે જેમના બલિદાનોએ આપણા માટે આઝાદીને વાસ્તવિકતા બનાવી છે.તેમજ 15 ઓગસ્ટ, 1947 સુધીની ઐતિહાસિક સફરના સીમાચિહ્નો, સ્વતંત્રતા ચળવળો વગેરેનું પુનરાવલોકન પ્રસ્તુત છે.

આ થીમ હેઠળના કાર્યક્રમોમાં બિરસા મુંડા જયંતિ (જનજાતિ ગૌરવ દિવસ), નેતાજી દ્વારા મુક્ત ભારતની કામચલાઉ સરકારની ઘોષણા, શહીદ દિવસ વગેરેનો સમાવેશ થાય છે.

આ થીમ હેઠળ સંસ્કૃતિ મંત્રાલયની વિશેષ પહેલોમાં નીચેનાનો સમાવેશ થાય છે

વધુ જાણો

આઈડિયાઝ@75

આપણે જાણીએ છીએ તેમ દુનિયા બદલાઈ રહી છે અને એક નવી દુનિયા ખુલી રહી છે. આપણી માન્યતાઓની તાકાત આપણા વિચારોની આયુષ્ય નક્કી કરશે. આ થીમ હેઠળના લોકપ્રિય કાર્યક્રમો તથા સહભાગિતાવાળા નવોન્મેષશાલી કાર્યક્રમોનો સમાવેશ થાય છે જે વિશ્વમાં ભારતના અનન્ય યોગદાનને પ્રસ્તુત કરવામાં ઉપયોગી નિવડે. આમાં કાશીની ભૂમિના હિન્દી સાહિત્યકારોને સમર્પિત કાશી ઉત્સવ, વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ્સ, જેમાં 75 લાખથી વધુ બાળકો 2047માં ભારતનું તેમનું વિઝન અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનાભૂલાયેલાં સ્વતંત્રતા સેનાની વિશે પોતાના વિચારો લખી રહ્યા છે...

વધુ જાણો

રીઝોલ્વ@75

આ થીમ આપણી માતૃભૂમિના ભાગ્યને આકાર આપવાના આપણા સામૂહિક સંકલ્પ અને એ સંકલ્પ દૃઢ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 2047ની સફર માટે જરૂરી છે કે આપણે દરેક વ્યક્તિ, જૂથ, નાગરિક સમાજ, શાસન સંસ્થાઓ વગેરે તરીકે સક્રિય થઈને આપણી ભૂમિકા ભજવીએ. ફક્ત અમારા સામૂહિક સંકલ્પ દ્વારા, સારી રીતે નિર્ધારિત કાર્ય યોજનાઓ અને નિર્ધારિત પ્રયત્નોથી વિચારોને ક્રિયાઓમાં પરિવર્તિત કરવામાં આવશે. આ થીમ હેઠળના કાર્યક્રમો અને કાર્યક્રમોમાં સંવિધાન દિવસ, ગુડ ગવર્નન્સ વીક વગેરે જેવી પહેલોનો સમાવેશ થાય છે જે હેતુની ઊંડી ભાવનાથી પ્રેરિત હોય ત્યારે ‘ગ્રહ અને લોકો’ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને જીવંત બનાવવામાં મદદ કરે છે.

વધુ જાણો

એકશન્સ @75

આ થીમ નીતિઓના અમલીકરણ અને પ્રતિબદ્ધતાઓને વાસ્તવિક બનાવવા માટે લેવામાં આવતા પગલાંને મહત્વ આપીને કોવિડ પછીની દુનિયામાં ઉભરી રહેલી નવી વિશ્વ વ્યવસ્થામાં ભારતને તેનું યોગ્ય સ્થાન લેવામાં મદદ કરવા માટે હાથ ધરવામાં આવતા તમામ પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પહેલ વડાપ્રધાન મોદીના'સબકા સાથ'ની હાલક/ ક્લેરીયન કોલથી પ્રેરિત છે. સબકા વિકાસ. સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ.તે સરકારી નીતિઓ, યોજનાઓ, કાર્ય યોજનાઓ સાથે વ્યવસાયો, એનજીઓ, નાગરિક સમાજની પ્રતિબદ્ધતાઓને સમાવે છે જે આપણા વિચારોને સાકાર કરવામાં મદદ કરે છે અને સામૂહિક રીતે વધુ સારી આવતીકાલનું નિર્માણ કરવામાં મદદ કરે છે . આ થીમ હેઠળના કાર્યક્રમોમાં ગતિ શક્તિ - મલ્ટી મોડલ કનેક્ટિવિટી માટે નેશનલ માસ્ટર પ્લાન જેવી પહેલનો સમાવેશ થાય છે. ...

વધુ જાણો

અચિવમેન્ટસ્@75

આ થીમ સમયનું અવલોકન અને સફરના તમામ લક્ષ્યોને ચિહ્નિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 5000+ વર્ષના પ્રાચીન ઈતિહાસના વારસા સાથે 75 વર્ષ જૂના સ્વતંત્ર દેશ તરીકે આપણી સામૂહિક સિદ્ધિઓના સાર્વજનિક હિસાબમાં વૃદ્ધિ કરવાનો તેનો હેતુ છે.

આ થીમ હેઠળના કાર્યક્રમો અને કાર્યક્રમોમાં 1971ની જીતને સમર્પિત સ્વર્ણિમ વિજય વર્ષ, મહાપરિનિર્વાણ દિવસ દરમિયાન શ્રેષ્ઠ યોજનાની શરૂઆત વગેરે જેવી પહેલોનો સમાવેશ થાય છે.

વધુ જાણો

વિડિયો ગેલેરી

સોશિયલ ફીડ

Top